તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બનાસકાંઠામાં તરછોડી દેવાયેલા 4 માદા હાથીને જામનગર ખસેડવાનો નિર્ણય લેવાયો છે. જામનગરના ઈન્ચાર્જ ડી.એફ.ઓ. રાધિકાબેન પરસાણાને આ બાબતને સમર્થન આપતા કહ્યું હતું કે, અત્યારે ચારેય હાથી ઓન ધ વે છે, જામનગર આવ્યા પછી તેનું મેડિકલ ચેકઅપ કરાવીને હેલ્થની ચકાસણી થયા પછી વધુ કહી શકાશે.
બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના સાતસણમાં સોમવારની મધરાતે અજાણ્યા શખસો 4 હાથીને બે ટ્રકમાં લાવીને સાંકળથી તેના પગ બાંધીને મૂકી ગયા હતા. આ ભેદી ઘટનાએ બનાસકાંઠા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અચંબિત કરી દીધુ હતું અને હાથીને મૂકી જનારાને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાનમાં આ ચારેય માદા હાથી જામનગર રાધાકૃષ્ણ ટેમ્પલ એન્ડ એલીફ્રન્ટ વેલફેર ટ્રસ્ટને સોંપવાનો નિર્ણય લેવાયો હતો અને મંગળવારે મધરાતે આ ચારેય હાથીને જામનગર મોકલવા માટે બનાસકાંઠાથી રવાના કરી દેવામાં આવ્યા હતા.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.