તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દ્વારકામાં આહિર સમાજની વાડી પાછળ આવેલી મુરલીધર ટાઉનશીપમાં ભાયાભાઇ હાથલીયાના મકાનમાં રહેતા રાજુભાઇ રામદેભાઇ ભાટિયાના બંધ રહેણાંક મકાનમાં શુક્રવારના રાત્રીથી શનિવારે બપોર સુધીમાં કોઇપણ સમયે તસ્કરો ત્રાટકયા હતાં. તસ્કરોએ બંધ મકાનના મુખ્ય રૂમના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતાં અને ચાવી વડે અંદરનો રૂમ ખોલ્યો હતો.
બાદમાં રૂમમાં રાખેલા લોખંડના કબાટ રાખેલો સોનાનો ચેઇન, વીંટી, ચાંદીના દાગીના, બે કાંડા ધડિયાળ અને રોકડ મળી કુલ રૂ.147500 ની મતા ચોરી કરી લઇ ગયા હતાં. બનાવ અંગે રાજુભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંદરના દરવાજાનું તાળું ચાવી વડે ખોલી ચોરી થઇ હોય બનાવ પાછળ કોઇ જાણભેદુ હોવાની શંકાના આધારે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.