જામનગરમાં ચેક રીટર્ન કેસમાં અદાલતે નિવૃત બેંક કર્મચારીને 3 મહિનાની સજા ફટકારી છે. રૂ.1.50 લાખ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે. નોટીસ ફટકારવા છતાં નિવૃત બેંક કર્મીએ ચેકની રકમ ચૂકવી ન હતી.
જામનગરમાં રહેતા દિપેશ પ્રાગજીભાઇ મંગી પાસેથી નિવૃત બેંક કર્મચારી રાજેશ મોરેશ્વર પંડયાએ સંબધ દાવે હાથ ઉછીના રૂ.150000 લીધા હતાં. આ રકમની પરત ચૂકવણી માટે રાજેશે ચેક આપ્યો હતો. આ ચેક દિપેશભાઇએ બેંકમાં રજૂ કર્યો હતો. પરંતુ રાજેશના ખાતામાં અપૂરતા ભંડોળના કારણે ચેક પરત ફર્યો હતો.
આથી દિપેશભાઇએ વકીલ મારફત રાજેશને નોટીસ ફટકારી હતી. છતાં રાજેશે નાણાં ચૂકવ્યા ન હતાં. આથી દિપેશે અદાલતમાં રાજેશ સામે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ફરિયાદ કરી હતી. જે ચાલી જતાં એડી.ચીફ. જયુડી.મેજીસ્ટ્રેટ એ.ડી.રાવે રાજેશને તકસીરવાન ઠેરવી ત્રણ મહિનાની સાદી કેદનો હુકમ કર્યો છે. સાથે સાથે રૂ.150000 દંડ ફટકારી દંડની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.