તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખીરસરા ગામ નજીક ગત રાત્રે દિપડો દેખાયાના સમાચારથી દોડધામ મચી જવા પામી હતી. ખીરસરા ગામના રેલ્વે સ્ટેશન નજીક આવેલા નદીના પટમાં દિપડો દેખાયાના સમાચારથી વન વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને જામનગરથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખીરસરા ગામે દોડી ગયા છે.
જામનગરના બરડા ડુંગરમાં દિપડાઓની મોટી વસાહત આવેલી છે. ત્યારે બરડા ડુંગર નજીક આવેલા લાલપુર તાલુકાના અનેક ગામોમાં આ પૂર્વે દિપડો દેખાયા હતો. ફરીને એક વખત લાલપુરના ખીરસરા ગામ નજીક માનવ વસાહત નજીક દિપડો દેખાતા ખીરસરા ગામના રહેવાસીઓમાં ચકચાર મચી જવા પામી હતી. ગામવાસીઓએ આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
વન વિભાગના અધિકારીઓએ જે જગ્યાએ દિપડો દેખાયાના વાવડ મળ્યા હતા તે જગ્યા પર ફૂટમાર્ક એકઠા કરી તેની તપાસ હાથ ધરી છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર મુકેશભાઇ બડીયાવદરએ જણાવ્યું હતું કે, ખીરસરા ગામના લોકોની રજૂઆતના આધારે વન વિભાગ દ્વારા હાલ જે જગ્યાએ દિપડો જોવા મળ્યો છે તે જગ્યા પર દિપડાને પકડી પાડવા પાંજરૂ મુકવામાં આવ્યું છે. તેમજ સ્ટાફના સુજીત કરંગીયા, એમ એલ કરમુર, વી એમ પિંડારીયા અને કમલેશ કરંગીયા સહિતના કર્મચારીઓને સતત આ વિસ્તાર પર નજર રાખવા કામગીરી સોંપવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.