લોકાર્પણ:જામનગરના જામજોધપુરમાં એસ્સાર દ્વારા અપાયેલા ઓક્સિજન જનરેટર પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે વર્ચ્ચુઅલ લોકાર્પણ કરાયું

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્લાન્ટના કારણે તબીબી માળખાગત સુવિધા મજબૂત થશે

રાજયના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાજયમાં આરોગ્ય સુવિધા વધે તેના ભાગરુપે જામજોધપુરમાં ઓક્સિજન જનરેટર પ્લાન્ટને વર્ચ્યુઅલ માધ્યમ થકી ખુલ્લો મુકયો હતો. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી (CSR)ના ભાગરૂપે એસ્સાર ફાઉન્ડેશન દ્વારા જામજોધપુર સીએચસીમાં ઓક્સિજન જનરેટર પ્લાન્ટનું દાન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના કોવિડ-19 મહામારી સામે લડવાના પ્રયાસોને ટેકો આપવા અને સંભવિત ત્રીજી લહેર માટે શ્રેષ્ઠ રીતે સજ્જ થવા, પ્લાન્ટ એરિયાની તબીબી માળખાગત સુવિધાને મજબૂત કરવામાં મદદરૂપ થશે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

જામજોધપુરનો આ ઓક્સિજન પ્લાન્ટ બુસ્ટર કમ્પ્રેસ્સર સાથે પ્રતિ કલાક 20NM3 ઓક્સિજન જનરેટર છે અને પ્રતિ મિનિટ 333 લિટરની ક્ષમતા ધરાવે છે, જે એકસાથે 24 બેડને સેવા આપવા પર્યાપ્ત છે. પ્લાન્ટ વાતાવરણમાંથી હવા શોષવા અગાઉ એને તબીબી-ગ્રેડના ઓક્સિજનમાં પરિવર્તિત કરશે. ઉપરાંત તબીબી ધારાધોરણ ધરાવતા સીલિન્ડર્સ ભરવા માટેના પ્લાન્ટ ઉપરાંત એક કમ્પ્રેસ્સર સ્થાપિત કરવામાં આવ્યુ છે. આ 24 કલાકમાં આશરે 80 સિલિન્ડર ભરવાની ક્ષમતા ધરાવે છે.

એસ્સારે પ્લાન્ટના વિવિધ ઘટકો દુનિયાના વિવિધ ભાગોમાંથી મંગાવ્યા છે અને પ્લાન્ટનાં સંપૂર્ણ ખર્ચનું વહન ‘એસ્સાર કેર ઇનિશિયેટિવ’ અંતર્ગત થયું છે. પ્લાન્ટ કટોકટીના કેસમાં લોકોની જરૂરિયાત પૂર્ણ કરી શકશે અને તેમને જરૂરી રાહત પ્રદાન કરશે. ઓક્સિજન પ્લાન્ટની કામગીરી પર હોસ્પિટલના સ્ટાફની તાલીમ પ્લાન્ટના સપ્લાયર્સ એન્જિનીયર દ્વારા હાથ ધરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વર્ચ્યુઅલ માધ્યમ થકી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ મંત્રી અને પૂર્વ એમએલએ ચિમનભાઇ સાપરિયા, જામનગરના ડેપ્યુટી ડીડીઓ પાર્થ કોટડિયા, જામજોઘપુર એપીએમસીના ચેરમેન અને પૂર્વ એમએલએ બ્રિજરાજસિંહ જાડેજા, સાંત ખરે સીઇઓ, એસ્સાર બલ્ક ટર્મિનલ સલાયા લિમિટેડ અને કનૈયાલાલ મોટલા હેડ, કોર્પોરેટ રિલેશન, એસ્સાર ઉપસ્થિત રહ્યાં હતાં. એસ્સાર ગુજરાત દ્વારા અપાયેલા આ ઓક્સિજન પ્લાન્ટ સરકારના ત્રીજી લહેર શરૂ થવાના કેસમાં વધારે સારી રીતે સજ્જ રહેવાના પ્રયાસોને વેગ આપશે તથા જામજોધપુર તાલુકાના લોકોને તબીબી ઓક્સિજનનો પુરવઠો સમયસર પ્રદાન કરવામાં ટેકો આપશે. ગયા વર્ષે એસ્સાર ફાઉન્ડેશને ‘એસ્સાર કેર ઇનિશિયેટિવ’ શરૂ કર્યું હતું, જેનો આશય ભારતની કોવિડ-19 સામેની લડાઈને ટેકો આપવાનો છે. આ પહેલ અંતર્ગત બે મિલિયનથી વધારે ભોજન અને 1.55 લાખ મેડિકલ પુરવઠો દેશભરમાં જરૂરિયાતમંદોને પૂરો પાડવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે જ્યારે દેશ વાયરસની બીજી લહેરમાં પકડમાં આવ્યો હતો, ત્યારે એસ્સારે ખંભાળિયા સિવિલ હોસ્પિટલ સાથે જોડાણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા -ગુજરાતમાં ઓક્સિજન સાથે સજ્જ 100 બેડનું કોવિડ કેર સેન્ટર સ્થાપિત કર્યું હતું. આ સુવિધા કટોકટીના સમયગાળા દરમિયાન જરૂરી તબીબી માળખું ઉમેરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી અને ઘણા દર્દીઓને વાયરસ ઇન્ફેક્શનમાંથી સાજા થવામાં મદદ પૂરી પાડી હતી. એસ્સાર ફાઉન્ડેશન વિવિધ પહેલો મારફતે વિસ્તારના લોકોને ટેકો આપવાનું અને જરૂરિયાતમંદોને રાહત પ્રદાન કરવાનું જાળવી રાખશે.

અન્ય સમાચારો પણ છે...