જામનગર સહિત રાજયભરમાં બોન્ડેડ તબીબો દ્વારા ગામડામાં પ્રેકટીસ સહિતના પ્રશ્ને રાજય સરકાર સામે હડતાલનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું હતું. આથી રાજય સરકારે આકરા પગલાં લઇ તબીબોને હોસ્ટેલ ખાલી કરવા આદેશ આપ્યો હતો અને સાથે વીજ પુરવઠો પણ કટ કરી નાખ્યો હતો. આમ છતાં તબીબોએ હડતાલ યથાવત રાખી હતી. તબીબોની હડતાલને આઇએમએ પણ સમર્થન આપ્યું હતું. પરંતુ રાજય સરકાર દ્વારા તબીબો સાથે વટાધાટ કરવામાં આવતા તબીબો દ્વારા ગુરૂવારે હડતાલ સમેટી લેવામાં આવી હતી અને જી.જી.હોસ્પિટલમાં ઓપીડી સારવારમાં જોડાયા હતાં.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.