જામનગરમાં રાષ્ટ્રીય યુવા દિવસ કાર્યક્રમ અને સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે શહેરના જામનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે યુવાનો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ અંતર્ગત નયારા એનર્જીના CSR પ્રોગ્રામ હેઠળ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા સ્વામી વિવેકાનંદજીના જીવન કવનથી યુવાઓને વાકેફ કરવા માર્ગદર્શન પુરૂ પડાયું હતું.
આ કાર્યક્રમમાં 21મી સદી કૌશલ્ય તાલીમ ના 350 થી વધુ યુવા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.જેમને સ્વામી વિવેકાનંદજીના વિચારોથી અવગત કરી તેમના વૈચારિક પ્રવાહમાં જોડવા અંગેનું માર્ગદર્શન પુરૂ પડાયું હતું.તેમજ UNDP હેઠળ તાલીમ લઈ રહેલ સોફ્ટ એન્ડ એમ્પ્લોઈબીલીટી સ્કીલના તાલીમાર્થીઓ માટે વિવેકાનંદજીના જીવન પર નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિજેતા યુવાઓને પુરસ્કાર તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે તાલીમ પૂર્ણ કરેલ 150 થી વધુ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો પણ એનાયત કરાયાં હતા.
આ પ્રસંગે શહેર પ્રાંત અધિકારી ડી.ડી.શાહ, નયારા એનર્જીના અવિનાશ રાવલ, UNDP ના પ્રતિનિધિ અર્જુન કૌરવ, મોટિવેશનલ સ્પીકર પી.એમ.જાડેજા, ગ્રાસ એકેડમીના દિપક મલ્હોત્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.તેમજ કાર્યક્રમનું સંચાલન અને આયોજન મિથુન ક્રિષ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.