તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ્રતિષ્ઠાના જંગ સમાન જામનગર જિલ્લા સહકારી બેંકમાં સતા કબજે કરવા ભાજપ-કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ સ્થિતિમાં બેંકની ચૂંટણી જાહેર થતાં ફોર્મ ભરાયા બાદ ચકાસણીના અંતે કુલ 41 ઉમેદવારના ફોર્મ મંજૂર થયા છે.
ચૂંટણી અધિકારીએ જાહેર કરેલી માન્ય ઉમેદવારની યાદીમાં ગુજસીટોકમાં અમદાવાદની જેલમાં રહેલા પૂર્વ પોલીસ કર્મી વશરામ ગોવિંદભાઇ મિયાત્રા(આહીર) નું નામ હોય અને તેનું ફોર્મ પણ મંજૂર થઇ ગયું હોય ચૂંટણીમાં ભારે ગરમાવો આવ્યો છે. ચૂંટણીમાં સોમવારથી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ થઇ છે. જે આગામી તા.1 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. પરંતુ ફોર્મ પરત ખેંચવાના પ્રથમ દિવસે એટલે કે સોમવારે એકપણ ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ન ખેંચતા રાજકારણમાં ઠંડીમાં ભારે ગરમાવો આવ્યો છે. જામનગર જિલ્લા સહકારી બેંકમાં સત્તા કબજે કરવા ભાજપ-કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે 41માંથી કેટલા ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાશે તેનું ચિત્ર આગામી 1 જાન્યુઆરીના સાંજ સુધીમાં સ્પષ્ટ થઇ જશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.