જામનગર તાલુકાના બેરાજા ફલ્લામાં રહેતા અશોકસિંહ રામસંગ પરમાર પાસેથી ધ્રોલમાં સનસીટી કોમ્પલેકસમાં વેપાર કરતા રાજેશ રામજીભાઇ ઘેટીયાએ સબંધદાવે ઉછીના રૂ.609000 લીધા હતાં. આ રકમની પરત ચૂકવણી માટે રાજેશે ચેક આપ્યા હતાં. આ ચેક અશોકસિંહે બેંકમાં રજૂ કરતા રાજેશના ખાતામાં અપૂરતા નાણાભંડોળના કારણે ચેક પરત ફર્યા હતાં. આથી અશોકસિંહે જામનગરની અદાલતમાં ચેક રીટર્નના કેસ કર્યા હતાં. જેમાં સમાધાન થતા રાજેશે પાર્ટ પેમેન્ટ કરવા રૂ.85000 નો ચેક આપ્યો હતો. આ ચેક પણ રાજેશના ખાતામાં અપૂરતા નાણાં ભંડોળના કારણે પરત ફર્યો હતો.
આથી અશોકસિંહે જામનગરની અદાલતમાં ચેક રીટર્નનો કેસ કર્યો હતો. જે ચાલી જતાં ન્યાયાધીશ આર.બી.ગોસાઇએ ધ્રોલના વેપારી રાજેશને તકસીરવાન ઠેરવી 9 મહિનાની સાદી કેદની સજા ફટકારી છે. ચેકની રકમ રૂ.85000 દંડ ફટકરી દંડની રકમ અશોકસિંહને વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો છે. જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ એક મહિનાની સાદી કેદની સજા ફટકારી છે. આરોપી વિરૂધ્ધ હુકમ મુજબનું સજાનું વોરંટ ઇસ્યુ કરવા તથા તેની બજવણી માટે જામનગર એસ.પી.ને મોકલવા હુકમ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.