તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરની આયુર્વેદિક કોલેજમાં ઈન્ટર્ની તબીબોને બીજી કોલેજોની તુલનાએ ઓછા સ્ટાઈપન્ડ આપવાના મુદ્દે એબીવીપી દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી સ્ટાઈપન્ડ વધારવાની માંગણી કરવામાં આવી છે.
જામનગર શહેરના ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયમાં ઈન્ટર્ની તબીબો ફરજ બજાવે છે. બીજી બધી કોલેજોમાં તબીબોને 9800થી વધુ સ્ટાઈપન્ડ આપવામાં આવે છે. જ્યારે વિશ્વકક્ષાએ નામના મેળવનાર જામનગરની કોલેજમાં ફક્ત 7280 રૂપિયા જ સ્ટાઈપન્ડ આપવામાં આવે છે જે અંગે યોગ્ય કરવા અને સ્ટાઈપન્ડ વધારવાની માંગણી કરતું એબીવીપી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તબીબોને અન્ય કોલેજોની તુલનાએ મળતા સ્ટાઈપન્ડ અપાવવા માંગણી કરી છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.