તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરના ઢીંચડા રોડ પર ક્રિષ્ના વે બ્રીજ પાસેના વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતા એક યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીઘી હતી.મૃતક યુવાને આર્થિક પરિસ્થિતિના કારણે ભીંસમાં આવી જતા આ પગલુ ભરી લીઘુ હોવાનુ જાહેર થયુ છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં ઢીંચડા રોડ પર ક્રિષ્ના વે બ્રિજ સામે પુષ્પક એપાર્ટમેન્ટ નજીક રહેતા અને મજુરીકામ કરતા નરેન્દ્રસિ઼હ પ્રાગજી જાડેજા(ઉ.વ.30) નામના યુવાને ગત તા. 25ના રાત્રે ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીઘુ હતુ.
આ બનાવ અંગે ભગીરથસીંહ ખેંગારજી સોઢાએ જાણ કરતા સીટી સી પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો સંભાળી તેને પોષ્ટમોર્ટમ અર્થે હોસ્પીટલમાં ખસેડયો હતો. મૃતકે પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે ભીંસમાં આવી જતા આ પગલુ ભરી લીઘુ હોવાનુ પોલીસ સમક્ષ જાહેર થયુ છે.મજુરીકામ કરતા મૃતક યુવાનના આ અંતિમ પગલાથી તેના અગીયાર વર્ષના પુત્રે પિતાની છત્રછાયા ગુમાવી છે.આ બનાવના પગલે મૃતકના પરીવારમાં ઘેરો શોક છવાયો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.