તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરના મહાદેવનગરરોડ પર સ્થિતયાદવનગર વિસ્તારમાં અજ્ઞાત માણસ પર પાણી છાંટવા તેમજ જુની અદાવતના કારણે બે પરીવાર વચ્ચે બબાલ સર્જાઇ હતી જેમાં પાઇપ અને ઘોકા વડે સામસામા હુમલાની ફરીયાદ નોંધાઇ છે.આ બનાવમાં બંને પક્ષના ચારેક લોકોને ઇજા પહોચ્યાનુ બહાર આવ્યુ છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ શહેરમાં મહાદેવનગર રોડ પર યાદવનગર વિસ્તારમાં રહેતા દેવાણંદભાઇ પુંજાભાઇ ગાગીયા નામના પ્રૌઢે પોતાના પર તથા અન્ય પર લોખંડના પાઇપ-લાકડાના ઘોકા વડે હુમલો કરી તેને તથા રાજુભાઇને માથાના ભાગે તેમજ અન્યને મુંઢ ઇજા કર્યાની ફરીયાદ દેવાણંદ વારોતરીયા તેમજ અશ્વીન દેવાણંદભાઇ, પ્રવિણ દેવાણંદભાઇ અને કરણા દેવરખીભાઇ વારોતરીયા સામે નોંધાવી છે.
જયારે સામાપક્ષે કરણાભાઇ દેવરખીભાઇ વારોતરીયાએ પણ પોતાના તથા અન્ય પર લાકડાના ઘોકા વડે હુમલો કરી તેને માથાના ભાગે તેમજ અન્યોને મુંઢ ઇજા પહોચાડવા અંગે દેવાણંદભાઇ ગાગીયા, રાજુ દેવાણંદભાઇ અને ગોવિંદ દેવાણંદભાઇ ગાગીયા સામે ફરીયાદ નોંધાવી છે.પોલીસે બંને પક્ષોની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.અજાણ્યો માણસ સુતો હોય જેના પર પાણી છાંટવા તેમજ જુની અદાવતનો ખાર રાખી સામસામા હુમલા થયાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.