તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરમાં ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાનગરપાલિકાના સહયોગથી શહેરના વોર્ડ નંબર 3 અને 4 માં વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં બંને વોર્ડમાં રહેતા 45 વર્ષથી વધુ વયના રહેવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ કરીને કેમ્પમાં 105 વર્ષના વયોવૃધ્ધે કોરોના પ્રતિરોધક રસી મૂકાવી અન્ય લોકોને પ્રોત્સાહીત કર્યા હતાં.
કેમ્પમાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભારત અને ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે કોરોના પ્રતિરોધક રસી મહામારી સામે લડતનું હથીયાર સમાન છે. ત્યારે વધુમાં વધુ લોકો આ રસી લઇ અને સુરક્ષિત બને તે માટે આ મેગા વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યા છે. હજુ પણ વધુ લોકો આ જ રીતે જાગૃત બની તત્કાલ કોરોના પ્રતિરોધક રસી લઇ પોતે તથા પોતાના પરિવાર અને સમગ્ર જામનગરને સુરક્ષિત બનાવવા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. વોર્ડ નંબર-3માં પટેલ સમાજ ખાતે 105 વર્ષના સામાણી નરશીભાઇ દેવશીભાઇના વયોવૃધ્ધે રસી લીધી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.