તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બેરાજા ગામની સીમમાં અકસ્માતે માતા-પુત્રી કૂવામાં પડી જતાં બંને મોતને ભેટ્યાં છે. છગનભાઈ ચીકાણીની વાડીમાં ખેતમજૂર તરીકે કામ કરતા આદિવાસી પરિવારના જમનાબેન નાનકાભાઈ ભુરીયા અને તેની સાત માસની પુત્રી લક્ષ્મી ભુરીયા વાડીમાં કપાસ વીણવા નીકળ્યા બાદ સવારના સાડા છ વાગ્યા આસપાસ અંધારાને લઈને અકસ્માતે કૂવામાં ડૂબી જતા માતા અને સાત માસની પુત્રીનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.
પોલીસે સ્થળ પર પહોંચી બંને મૃતદેહનો કબજો લઈ તપાસ હાથ ધરી
ઘટનાની વિગત અનુસાર મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની અને હાલ જોડિયા તાલુકાના બેરાજા ગામમાં રહેતા છગનભાઈ અરજણભાઈ કમાણીની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા નાનકાભાઈ ઇડાભાઈ ભુરીયા નામના આદિવાસી શ્રમિકની પત્ની જમનાબેન (ઉં.વ.25) તેમજ તેની સાત માસની પુત્રી લક્ષ્મી કે જે બન્નેના કૂવામાં પડી જતાં ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યા હતા. આ બનાવ અંગે આદિવાસી શ્રમિક નાનકાભાઈએ જોડીયા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને અને બન્ને મૃતદેહોનો કબજો સંભાળી તપાસ હાથ ધરી છે.
માતા-પુત્રીના મોતને લઈને પરિવારમાં માતમ
પોલીસમાં જાહેર કરાયા અનુસાર જમનાબેન વહેલી સવારે સાડા છ વાગ્યાના અરસામાં ઉઠયા હતા અને સવારે પોતાની સાત માસની પુત્રીને લઇને વાડીએ કપાસ વિણવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. દરમિયાન વહેલી સવારે અંધારામાં વાડીના ખુલ્લા કૂવામાં પડી ગયા હતા અને ડૂબી જવાના કારણે માતા-પુત્રી બંનેના મૃત્યુ નીપજયાં હતા. જોડીયા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. માતા-પુત્રીના મોતને લઈને પરિવારમાં માતમ છવાયો છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.