તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લાલપુર તાલુકાના ખીરસરા ગામ નજીક મંગળવારે રાત્રે દિપડો દેખાયાના સમાચારથી દોડધામ મચી જવા પામી હતી. ખીરસરા ગામના રેલ્વે સ્ટેશન નજીક આવેલા નદીના પટમાં દિપડો દેખાયાના સમાચારથી વન વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને જામનગરથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખીરસરા ગામે દોડી ગયા છે.
જામનગરના બરડા ડુંગરમાં દિપડાઓની મોટી વસાહત આવેલી છે. ત્યારે બરડા ડુંગર નજીક આવેલા લાલપુર તાલુકાના અનેક ગામોમાં આ પૂર્વે દિપડો દેખાયા હતો. ફરીને એક વખત લાલપુરના ખીરસરા ગામ નજીક માનવ વસાહત નજીક દિપડો દેખાતા ખીરસરા ગામના રહેવાસીઓમાં ભયનું લખલખું પસાર થઈ ગયું હતું.
આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. વન વિભાગના અધિકારીઓએ જે જગ્યાએ દિપડો દેખાયાના વાવડ મળ્યા હતા તે જગ્યા પર ફૂટમાર્ક એકઠા કરી તેની તપાસ હાથ ધરી છે. ખીરસરા ગામના લોકોની રજૂઆતના આધારે વન વિભાગ દ્વારા હાલ જે જગ્યાએ દિપડો જોવા મળ્યો છે તે જગ્યા પર દિપડાને પકડી પાડવા પાંજરૂ મુકવામાં આવ્યું છે. તેમજ બે કર્મચારીઓને સતત આ વિસ્તાર પર નજર રાખવા કામગીરી સોંપવામાં આવી છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.