જામનગર માર્કેટ યાર્ડમાં શનિવારે કુલમાંથી અડધી ધઉં, તલ અને જીરૂની આવક થઇ હતી. 883 ખેડૂત આવ્યા હોવા છતાં 37381 મણ જણસ ઠલવાઇ હતી. હરાજીમાં બાજરીના સૌથી ઓછા રૂ.306 ભાવ બોલાયા હતાં. જામનગર યાર્ડમાં શનિવારે જણસની આવકમાં ઘટાડો નોંધાયો હતો. કારણ કે, 883 ખેડૂત આવ્યા હોવા છતાં ફકત 37381 મણ જણસ ઠલવાઇ હતી. ઘઉંની 7676, તલની 7077, જીરૂની 5040 મણ આવક થતાં કુલ આવક પૈકી આ ત્રણ જણસની અડધો અડધ આવક નોંધાઇ હતી.
હરાજીમાં 20 કીલો બાજરીના રૂ.250 થી 306, ધઉંના રૂ.327 થી 357, મગના રૂ.1050 થી 1285, અડદના રૂ.1100 થી 1325, તુવેરના રૂ.1030 થી 1175, વાલના રૂ.900 થી 1040, મેથીના રૂ.800 થી 1255, મગફળીના રૂ.900 થી 1225, એરંડાના રૂ.940 થી 975, તલના રૂ.1500 થી 1570, લસણના રૂ.450 થી 1055, કપાસના રૂ.950 થી 1470, જીરૂના રૂ.1600 થી 2525, અજમાના રૂ.1900 થી 2745 બોલાયા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.