તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગર જિલ્લાના દર્દીએ કોરોનાને મ્હાત આપ્યાના ત્રણ મહિના પછી અંધાપો આવતા ચકચાર જાગી છે. દર્દીને આંખમાં ફંગલ ઇન્ફેકશનથી દેખાવાનું બંધ થતાં વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા છે. જામનગર શહેરની જી.જી.હોસ્પિટલની કોવીડ હોસ્પિટલમાં ત્રણેક મહિના પહેલા જિલ્લાના 50 વર્ષના વ્યકિતને કોરોના થતાં સારવાર અર્થે દાખલ થયા હતાં. અહીં સારવાર બાદ તેમણે કોરોનાને મ્હાત કરતા ડિસ્ચાર્જ કરાયા હતાં. પરંતુ આ દર્દીને પખવાડિયા પહેલા આંખમાં અંધાપો આવતા જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતાં.
આ અંગે કોવીડ હોસ્પિટલના નોડલ ઓફીસર ડો.એસ.એસ.ચેટરજીએ જણાવ્યું હતું કે, આ દર્દીને આંખમાં ફંગલ ઇન્ફેકશન થવાથી બંને આંખામાં અંધાપો આવતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા છે. જો કે, આ કેસ બ્રિટનમાં દેખાયેલા નવા કોરોના વાયરસ કે ન્યુકરમાઇક્રોસીસનો ન હોવાનું તેમણે જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.