આસામના મુખ્યમંત્રી ડો.હેમંત બીશ્વા હાલ ગુજરાતની મુલાકાતે છે. પોરબંદરમાં આયોજીત માધવપુરના
મેળામાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી ડો.હેમંત બીશ્વા આવ્યાં છે. ત્યારે જામનગરની પણ મુખ્યમંત્રી હેમંત બીશ્વાએ મુલાકાત લીધી હતી. સર્કિટ હાઉસ ખાતે આસામ ડેવલોપીંગને લઈ ચર્ચા કરી હતી. ગુજરાતીઓ આસામમાં રોજગારી માટે આવે તેવી પણ વાતચીત કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને જામનગરના જાણીતા બિલ્ડર અને ગાગીયા સન્સ પ્રા.લી ના એમડી ભાવેશ ગાગીયા સહિત કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આસામના મુખ્યમંત્રી ડો હેમંતા બીશ્વાએ જામનગરમાં સર્કિટ હાઉસ ખાતે એક દિવસનું રાત્રિ રોકાણ કર્યું હતું. જિલ્લાના ગાગીયા સન્સ પ્રા.લિ એમડી ભાવેશ ગાગીયા સહિતના કંપનીના કર્મચારીઓએ આસામના મુખ્યમંત્રી ડો.હેમંતા બીશ્વા શર્મા સાથે આસામના ડેવલોપીંગ વિશેની ચર્ચા કરી હતી. તેમજ અમુક મુદ્દા પર વિસ્તૃત માહિતી મેળવી હતી. આગામી દિવસોમાં ગાગીયા સન્સ પ્રા.લી આસામમાં ડેવલોપીંગ માટે રૂપરેખા તૈયાર કરી છે, તેવી આસામના મુખ્યમંત્રી હેમંતા બીશ્વા શર્મા સાથેની શુભેચ્છા મુલાકાતમાં ચર્ચા કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.