તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગર શહેરમાં દિગ્જામ આેવરબ્રિજ પર મોટરસાયકલ લઇને જઇ રહેલા યુવાનના ગળાપર અચાનક પતંગનો દોરો વીટાઇ જતાં ગળુ કપાઇ જતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યેા હતો. જયાં તબીબે તેને મૃત પામેલો ઘોષિત જાહેર કર્યો હતો તથા અન્ય બનાવમાં ખરખરાના કામે જઇ રહેલા વૃધ્ધનું મોટરસાયકલ સ્લીપ થતાં તેનું મૃત્યુ નિપજયું હતું.
શહેરના એરફોર્સ રોડ ઇન્દીરા કોલોની શેરી નં. 1માં રહેતા ભનજીભાઇ જેઠાભાઇ પરમાર (ઉ.વ.45) પેાતાનું મોટરસાયકલ લઇ દિગ્જામ ઓવરબ્રીજ પરથી પસાર થતાં હતા ત્યારે અચાનક તેના ગળામાં પતંગનો દોરો વીટાઇ જતાં ગળુ કપાવાથી તેને ગંભીર હાલતમાં જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યેા હતો.જયાં સારવાર કારગત નીવડે તે પહેલા જ તેનું મોત નિપજયુ હતંુ. બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં જામનગર તાલુકાના ચેલા ગામે રહેતા ભીમજીભાઇ લાલજીભાઇ કણઝારીયા (ઉ.વ.63) નામના વૃધ્ધ પોતાનું મોટરસાયકલ લઇ ચેલા ગામથી મચ્છુ બેરાજા ગામે ખરખરાના કામે જતાં હતા ત્યારે સસોઇ પીપળી ગામે મોટરસાયકલ સ્લીપ થઇ જતાં તેમને માથાના ભાગે તથા શરીરમાં નાની-મોટી ઇજાઓ પહોચી હતી જેને હોસ્પિટલે ખસેડાતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.