તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે રહેતી શ્રમિક સર્ગભા યુવતિને ખચાનક પેટમાં દુ:ખાવો ઉપડતા સારવાર માટે રાજકોટની હોસ્પીટલ ખાતે લઇ જવાઇ હતી.જયાં સારવાર દરમિયાન તેણીનુ મૃત્યુ નિપજયુ હતુ. મોટા વડાળા ગામે રહેતી અને ખેતમજુરી કામ કરતી પરપ્રાંતિય સર્ગભા ભારતીબેન પ્રકાશભાઇ નાયકા (ઉ.વ.30)ને ગત તા.4ના રોજ સવારે અચાનક પેટમાં દુ:ખાવો ઉપડતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પીટલમાં લઇ જવાઇ હતી.
જયાં ટુંકી સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની મૃતકના પતિ પ્રકાશભાઇ બચુભાઇ નાયકાએ જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસની ટુકડી તુરંત રાજકોટની હોસ્પીટલ ખાતે દોડી ગઇ હતી.પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવના પગલે ખેતમજુર પરીવારમાં ઘેરા શોકની લાગણી છવાઇ છે.
જામનગરમાં વાઘેરવાડા નજીક બચુનગર ખાતે રહેતા આરઝુબેન મહેબુબભાઇ પીઠડીયા (ઉ.વ.25) નામની પરિણીતાને વધુ પડતા રકતસ્ત્રાવના કારણે સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં લઇ જવાયા હતા જયાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ.સીટી એ પોલીસે તેના પતિ મહેબુબભાઇનુ નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.