જામનગર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી ચૂક્યું છે. આજે નવા 10 કેસની સામે 39 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા હતા. જ્યારે એક દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આજે જામનગર શહેરમાં નવા 9 કેસ નોંધાયા હતા જ્યારે 32 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. તો ગ્રામ્યમાં નવો 1 કેસ નોંધાયો હતો અને 7 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યો હતો.જ્યારે એક દર્દીનું મોત નિપજ્યું હતું.
જામનગર શહેરમાં કોવિડ ગાઈડલાઈનનો કડક અમલ યથાવત છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 6 લાખ 68 હજાર 095 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 5 લાખ 83 હજાર 308 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.