કાર્યવાહી:75 આસામી પાસેથી 15 લાખ વેરો વસૂલાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે બાકીદારની મિલકત જપ્ત કરાઇ

જામનગરમાં મનપાએ 75 આસામી પાસેથી રૂ.15 લાખનો વેરો વસૂલ્યો હતો. વેરો ન ભરનાર બે બાકીદારની મિલકત મનપાએ જપ્ત કરી હતી.

જામ્યુકોની મિલકત વેરા શાખાએ વોર્ડ નં.2 માં 15 આસામી પાસેથી રૂ.245785, વોર્ડ નં.5 માં 22 આસામી પાસેથી રૂ.437135, વોર્ડ નં.6 માં 2 આસામી પાસેથી રૂ.33556, વોર્ડ નં.7 માં 5 આસામી પાસેથી રૂ.105539, વોર્ડ નં.8 માં 3 આસામી પાસેથી રૂ.53840, વોર્ડ નં.9 માં 2 આસામી પાસેથી રૂ.53285, વોર્ડ નં.10 માં 5 આસામી પાસેથી રૂ.98110, વોર્ડ નં.11 માં 1 આસામી પાસેથી રૂ.24470, વોર્ડ નં.12 માં1 આસામી પાસેથી રૂ.11090, વોર્ડ નં.13 માં 4 આસામી પાસેથી રૂ.146999, વોર્ડ નં.14 માં 3 આસામી પાસેથી રૂ.69971,વોર્ડ નં.15 માં 5 આસામી પાસેથી રૂ.144596 વોર્ડ નં.17 માં 2 આસામી પાસેથી રૂ.25556, વોર્ડ નં.18 માં 1 આસામી પાસેથી રૂ.19570ની વસૂલાત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...