તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિવાળી એટલે હિન્દુ વર્ષનો છેલ્લો દિવસ. સમી સાંજના સુવર્ણ વાઘામાં સજ્જ કાળિયા ઠાકોર વેપારી સ્વરૂપમાં જોવા મળે છે. ભગવાન દ્વારકાધીશ ત્રાજવા તોલા સાથે તેના પ્રીય ભક્તો દ્વારા હાટડી ભરવામાં આવે છે. હાટડી દર્શન સમયે ભગવાન ભક્તોને ત્રાજવા તોલાથી સુખ અને સમૃદ્ધિની લ્હાણી કરતા હોવાની માન્યતા છે.દીપાવલી આવે એટલે ભગવાન દ્વારકાધીશ જગતમંદિરમાં વિવિધ ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે દ્વારકાધીશ ભગવાનને પૂજારી પરિવાર દ્વારા સુવર્ણ વાઘા માં સજ્જ કરી સોના દાગીનાના ખાસ મુગટ પહેરાવવામાં આવે છે.
જગત મંદિરને રોશનીથી ઝળહળા કરવામાં આવેછે ત્યારે દિવાળીના રાત્રીના 8 વાગ્યે હાટડી ભરવામાં આવે છે. ભગવાન પોતે વેપારી હોય તેવા ભાવસાથે હાટડીમાં ભગવાનને વિવિધ મીઠાઈઓ પકવાનો ધરવામાં આવે છે અને ભગવાન પાસે સોના ચાંદીના ત્રાજવા તોલા પણ રાખી આ હાટડી ભરવામાં આવે છે. હાટડી દર્શન માટે સ્થાનિક વેપારીઓ અને અન્ય શ્રદ્ધાળુઓ ખાસ દર્શન માટે આવે છે અને ભગવાન આ ત્રાજવા તોલા માંથી સુખ અને સમૃદ્ધિની વહેંચણી માનવીના કર્મોને આધારે કરતા હોવાની માન્યતા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.