તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિજયનગર તાલુકામાં દિવાળી પ્રસંગે પ્રાચીન કાળથી ચાલતી દિવાળી આણાં અને મેરૈયા પ્રથા હવે લુપ્ત થવાના આરે છે. દિવાળીની રાત્રે નવોઢા દ્વારા તેના પતિ ના મેરૈયામાં તેલ પૂરવા માં આવતું. જ્યારે બાળકો દ્વારા નવવર્ષ ના વધામણાં માટે પાડોશીઓના ઘેર ઘેર મેરૈયું ફેરવવામાં આવતું હતું. વર્ષ દરમ્યાન પરણેલી નવપરણિતાને તેના પિયર થી દિવાળી તાણે તેડવાં જવાની પ્રથા દિવાળી આણાંની પ્રથાને ગ્રહણ લાગ્યું છે.પ્રકાશ પર્વ દિપાવલીની સાથે વિજયનગર તાલુકામાં કેટલીક રૂઢિગત પ્રથાઓ પરંપરાઓ પણ વણાયેલી હતી. જેમાં જેમાં વર્ષ દરમ્યાન પરણેલી નવપરણિતા ને દિવાળી ટાણે તેના પિયર થી તેડવાં જવાની પ્રથા દિવાળી આણાં તરીકે પ્રચલિત છે.
જ્યારે દિવાળીની રાત્રીએ નવપરણિત નવોઢા દ્વારા એના પતિના મેરૈયામાં તેલ પૂરવાની પ્રથા હતી. સાથે જ નવા વર્ષ ના દિવસે પોતાના પાડોશીઓને નવ વર્ષની વધામણી આપવા માટે બાળકો ઘરે ઘરે ફરી મૈરાયું લઇને નીકળતા અને દેશી ભાષામાં આજ દિવાળી કાલ દિવાળી પરમે દાડે ઘેર દિવાળી મેરાઇજ્યુ, ઘર મેં હે પણ બોલતી નહિ. દૂકડા હી પણ આલતી નહિ મેરરાઈ જયું, ટુરહે દિવાળજા, તેલ પૂરે ઈને તેત્રી સોરા ની પુરે ઈને કોણી સુરી મેરાઈજયું ટુરહે દિવાળજા જેવા ગીતો ગાઈ આનંદ અને ઉલ્લાસ સાથે નવ વર્ષ નો આંનદ મનાવવામાં આવતો. જે પ્રથા ને આજે આધુનિકતાનું ગ્રહણ લાગતા અતિ પ્રાચીન પરંપરા હવે લુપ્ત થવા જઈ રહી છે.
મેરાયું શું છે
મેરાયુ મુખ્યત્વે દૂધી માંથી અને હવે પ્રજાપતિ દ્વારા માટીમાં બનાવવામાં આવતું જેમાં દૂધીના મેરૈયાને સુંદર આકાર આપી અંદર કાણા પાડી ફૂલો થી સજાવવામાં આવતું. જેમાં રૂ ની દિવેટ મૂકી દીવડો પ્રગટાવવામાં આવતો.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.