પ્રાંતિજના નવાપુરા વાઘપુરામાં ડમ્પિંગ સાઇટે પ્રાંતિજ પાલિકા દ્વારા રોજ કચરો ઠલવાતાં ગામના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ગામ લોકોમાં રોગચાળાની દહેશત ફેલાઇ છે. પાલિકામાં આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ જ કાર્યવાહી કરાતી નથી. પ્રાંતિજ તાલુકાના નવાપુરા વાઘપુરમાં આવેલ ડમ્પિંગ સાઇટ પર દરરોજ પ્રાંતિજ શહેરનો કચરો એકઠો કરીને અહીંયા ઠાલવાય છે.
ત્યારે અહીંયા વસવાટ કરતાં રહીશોમાં રોગચાળો ફેલાવાની દહેશત ફેલાઇ છે. અનેકવાર પાલિકામાં રજૂઆત કરતા છતાં પાલિકાએ આંખ આડા કાન કરી દીધા છે. અહીંયા કચરો ખાલી કરવા આવતાં ડ્રાયવરને રોકતાં વિપરીત જવાબ મળે છે. વારંવાર રજૂઆત કરતા છતાં પાલિકા આ વિશે અજાણ હોય તેમ વર્તન કરે છે તો હાલ તો આ કચરાંને લઈને રહીશો માં આક્રોશ જોવા મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.