તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિજયનગર તાલુકાના પોળો ફોરેસ્ટમાં શારણેશ્વર મંદિર પાસે પ્રવાસીઓની સુવિધા વધારવા અને જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી ઈકો ટુરીઝમ માટે ટુ વ્હીલર સિવાયના તમામ વાહનો ફોરેસ્ટ નાકાથી બહાર પાર્ક કરી મોટા અને ભારે વાહનો માટે પ્રવેશબંધીનો જિલ્લા કલેક્ટર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. તથા અભાપુરના રહીશ શિષ્ય ભરતગીરી ગુરુઆત્માનંદગીરીના માલિકીના બિનખેતી સ. નં. 66 માં પાર્કિંગ સુવિધા કરવાનું જણાવવામાં આવ્યુ છે.
પોળો શારણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમ થી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર ફોર વ્હીલર અને ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે તા. 12 માર્ચ 2021 સુધી અમલી રહેશે તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.