તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા તા. 19/11/20 ના રોજ બહાર પાડેલ નોટિફિકેશન પ્રમાણે આયુર્વેદ મા સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને મોડર્ન મેડિસિન એટલે કે એલોપથીમા પોસ્ટ ગ્રેજ્યુએટ કરીને વિવિધ પ્રકારના ઓપરેશનો કરી શકવાની જોગવાઈ કરાતા તબીબી આલમમાં આક્રોશ પેદા થયો છે તબીબોના જણાવ્યા પ્રમાણે આયુર્વેદનો વિદ્યાર્થી એલોપથીના પાયાનું જ્ઞાન મેળવ્યા વગર કેવી રીતે ઓપરેશન કરી શકે. આ તો સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ખિલવાડ છે.
ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા સીસીઆઈએમ એક્ટ નોટિફિકેશન દૂર કરવા વિરોધ માટે રીલે હંગર સ્ટ્રાઈક ની જાહેરાત કરાતા હિંમતનગર મેડિકલ એસોસિએશનના તબીબો બે કલાકની પ્રતીક ભૂખ હડતાળમાં જોડાયા હતા અને તા. 7/02/20 ના રોજ ભૂખ હડતાળ કરી હતી. સરકારી મંજૂરી ન મળવાથી માત્ર બે કલાક ડોક્ટરો પ્રતીક ભૂખ હડતાળમાં જોડાયા હતા. જેમાં પ્રમુખ ડો. જયરાજ ભટ્ટ, ડૉ. ભુપેન્દ્ર શાહ ,સેક્રેટરી ડો. મેહુલ પટેલ અન્ય તબીબો જોડાયા હતા.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.