તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાબરકાંઠામાં સ્વરાજની સંસ્થાઓમાં હાથ ધરાયેલ ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત 2 જી ફેબ્રુઆરીએ ચૂંટણી વિભાગ દ્વારા આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાઇ છે જેમાં 4,69,962 પુરૂષ અને 4,42,934 સ્ત્રી મતદાર અને અન્ય 9 મળી કુલ 9,12,905 મતદારોની જાહેરાત કરાઇ છે. તે પૈકી હિંમતનગર તાલુકામાં સૌથી વધુ 2,08,165 મતદારો છે જિલ્લામાં 23643 મતદારોનો વધારો થયો છે.
પોશીના તાલુકામાં સૌથી વધુ 4816 નવા મતદારોનો વધારો થયો છે. જિલ્લામાં કુલ 9,12,905 મતદાર નોંધાયા છે તે પૈકી હિંમતનગર તાલુકામાં સૌથી વધુ 2,08,165 મતદાર નોંધાયા છે. જ્યારે વડાલી તાલુકામાં સૌથી ઓછા 51180 મતદાર નોંધાયા છે.સા.કાં. જિલ્લામાં ચૂંટણી અંતર્ગત 1103 મતદાન મથક હોવાથી સ્ટેશનરી, વાહન ખર્ચ, ભથ્થા વગેરે મળી મતદાન મથક દીઠ સરેરાશ 25 હજાર ખર્ચ ગણતા અંદાજે રૂ. 3 કરોડનો ચૂંટણી ખર્ચ કરાશે પાલિકાની ચૂંટણીમાં થનાર ખર્ચ પાલિકાના સ્વભંડોળમાંથી કરવા જોગવાઇ કરાઇ છે.
તાલુકાવાર મતદારોની સંખ્યા | ||||
તાલુકો | પુરૂષ | સ્ત્રી | અન્ય | કુલ |
હિંમતનગર | 106841 | 101323 | 1 | 208165 |
ઇડર | 95527 | 91224 | 5 | 186756 |
વડાલી | 26320 | 24859 | 1 | 51180 |
ખેડબ્રહ્મા | 47668 | 44413 | 0 | 92081 |
પોશીના | 39946 | 36663 | 0 | 76609 |
તલોદ | 55490 | 51023 | 1 | 106514 |
પ્રાંતિજ | 57513 | 53043 | 0 | 110556 |
વિજયનગર | 40657 | 40386 | 1 | 81044 |
કુલ | 469962 | 442934 | 9 | 912905 |
મતદારોમાં થયેલ વધારો | |||||
તા.પં. | બેઠક | પુરૂષ | સ્ત્રી | અન્ય | કુલ |
હિંમતનગર | 30 | 2175 | 1795 | 0 | 3970 |
ઇડર | 28 | 1598 | 1414 | 2 | 3014 |
વડાલી | 16 | 512 | 141 | 1 | 654 |
ખેડબ્રહ્મા | 20 | 2373 | 2159 | 0 | 4532 |
પોશીના | 20 | 2568 | 2248 | 0 | 4816 |
તલોદ | 20 | 1131 | 734 | 0 | 1865 |
પ્રાંતિજ | 20 | 952 | 670 | 0 | 1622 |
વિજયનગર | 18 | 1558 | 1311 | 1 | 3170 |
નગરપાલિકામાં સ્થિતિ | ||||
નગરપાલિકા | પુરૂષ | સ્ત્રી | અન્ય | કુલ |
હિંમતનગર | 31696 | 30800 | 17 | 62513 |
વડાલી | 8227 | 7882 | 0 | 16109 |
તલોદ વોર્ડનં-3,6 | 2421 | 2231 | 0 | 4652 |
કુલ | 42334 | 40913 | 17 | 83274 |
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.