તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારત તથા ગુજરાત સરકાર દ્વારા હાલ કોરોના રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત 16 જાન્યુ.થી શરૂ કરવામાં આવેલા રસીકરણમાં પ્રથમ કોરોના વોરીયર્સને ત્યારબાદ 45 વર્ષથી વધુ પરંતુ કોઇ બિમારી હોય તેવા અને 60થી વધુ વર્ષના લોકોને રસી આપવામાં આવી હતી.
ત્યારબાદ 1 એપ્રીલથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું જે અંતર્ગત ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ, કુલસચિવ ડૉ.અનિલભાઈ સોલંકી, સહકુલસચિવ ડૉ. મુકેશભાઈ પટેલના માર્ગદર્શન અને જિલ્લા વહિવટી વિભાગ તથા જિલ્લા આરોગ્યના સહયોગથી કોરોના વેક્સીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા યુનિ. સંલગ્ન તમામ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઈડ કોલેજોના આચાર્યો, અધ્યાપકો તથા વહીવટી સ્ટાફના 100થી વધુ લોકોએ સરકારી પોલીટેકનીક ખાતે કોરોના વેક્સીનેશનની રસી મુકાવી હતી.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.