તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પંચમહાલ જિલ્લામાં રવિવારે કોરોનાના કુલ 3 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 2 દર્દીઓને રજા આપતા હાલ જિલ્લામાં સક્રિય કેસોની કુલ સંખ્યા 20 થવા પામી છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. રવિવારે ગોધરા, કાલોલ અને હાલોલ શહેરમાંથી 1-1 કેસ મળી આવ્યા છે.
શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2891 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1063 કેસ મળી આવ્યા છે. હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3794 થઇ છે. જયારે જિલ્લામાં કોવિડથી 69 અને નોન કોવિડથી 70 દર્દીઅોના મૃત્યુ પામ્યા હતા.
મહીસાગરમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો
મહીસાગર જિલ્લામાં રવિવારે ખાનપુર તાલુકાના ૧ પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લામાં કુલ 2010 કેસ પોઝીટીવ નોધાયા છે.રવિવારે જિલ્લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી વિરપુર તાલુકા અતને ખાનપુર તાલુકા મળીને 2 દર્દીઅોઅેે કોરોનાને મહાત આપતાં રજા આપવામાં આવતાં સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1951 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 9 વ્યક્તિનું મૃત્યુ થયા છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.