તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી - મુંબઈ નેશનલ ગ્રીન કોરિડોર માટે સંપાદન કરવામાં આવેલ જમીનના વળતરની રકમ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. કાલોલ તાલુકાના કાનોડ ,ભાટપુરા, ભાદરોલી સહીત ગામોના 100થી વધુ ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી છે જે ખેડૂતોને વળતરની રકમ ન મળતા ખેડૂતોની હાલત ન ઘરના ન ઘાટના જેવી બનવા પામી છે. ખેતી ઉપર જીવન નિર્વાહ કરતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે.
કાલોલ તાલુકામાંથી પસાર થતા આ કોરિડોર માટે સંપદાન કરવામાં આવેલી જમીનનું વળતરની નોટિસ જમીનના મૂળ માલિકની જગ્યાએ અન્ય ખેડૂતનાને થમાવી દેવાઇ છે જથી મૂળ જમીનના માલિક મુંઝવણમાં મુકાયા છે. હાઇવે ઓથોરિટી દ્વારા ખેડૂતોને વળતર આકારણીની નોટીસમાં વળતરની રકમ પણ ઓછી આકારવામાં આવી છે. જેને લઈને પણ ખેડૂતો પોતાનો વિરોધ નોંધાઈ રહ્યો છે.
કેટલાક ખેડૂતોની જમીન જાહેરનામામાં દર્શવાયા કરતા વધુ જમીન અધિગ્રહણ કરી હોવાનો પણ આક્ષેપ ખેડૂતો લગાવી રહ્યા છે પ્રશ્નો હાલ સર્જાવા પામતા ખેડૂતો રજુઆત કરે તો કોને કરે એવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે હાલ આ વિસ્તારના ખેડૂતો સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરી પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. સરકાર પાસે જમીન વળતરની રકમ ઝડપી મળી રહે તેવી માંગ કરી રહ્યા છે .
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.