મણિનગર શ્રીસ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી પંચમહાલના મહંત યોગપ્રિયદાસજી સ્વામી, ધર્મતનયદાસજી સ્વામી, ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, યોગવલ્લભદાસજી સ્વામી, સર્વાત્મપ્રિયદાસજી સ્વામી, વિશ્વમંગલદાસજી સ્વામી, હરિકૃષ્ણવલ્લભદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોની ઉપસ્થિતિમાં ચાતુર્માસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. તથા પૂજનીય સંતો-ભક્તોએ પંચમહાલ જિલ્લાના વિવિધ સ્વામિનારાયણ મંદિરો જેમા વાઘજીપુર, મોરડુંગરા, બોડિદ્રાબુઝર્ગ, શનિયાડા વગેરે મંદિરોમાં “શ્રીસ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ” ઉપક્રમે અષાઢ અને શ્રાવણ એ બે માસ એટલે ભગવાનની ભક્તિમાં તલ્લીન થવાનો માસ વરસાદી મોસમમાં હિંડોળાનો ઉત્સવ ઉજવાય છે.
હિંડોળા ઉત્સવ એટલે ભગવાનને સ્વહસ્તે ઝુલાવાનો અણમોલ સુઅવસર ભક્તિની રીત જ એવી છે કે હરિ સંગાથે લાડ કરવાં, એમને જમાડવા- પોઢાડવા અને એમને ઝુલાવવા જેમા ભગવાનના હિંડોળાને ફૂલોથી, સુકામેવાથી, ફ્રૂટથી, પવિત્રાંથી, રાખડીઓથી, મીણબત્તી, પેન, કોડી, શૃંખલા, છીપલાં, મોરપીંછ, સિક્કાઓથી, અગરબત્તી, આદિથી શણગારવામાં આવે છે. જેનાં દર્શનથી હજારો ભાવિકો કૃતાર્થ થયા છે.
વળી, શ્રીસ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રીમુક્તજીવન સ્વામીબાપા વિરચિત દેવભાષા-સંસ્કૃતમાં “શ્રીસ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર “પંચ દિનાત્મક ચાતુર્માસ કથા-સર્વોપરી શ્રીસ્વામિનારાયણ ભગવાનનાં અનેકવિધ દિવ્ય ચરિત્રોનું રસપાન સંતશિરોમણિ ગુરુપ્રિયદાસજી સ્વામીએ કરાવ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.