તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
યાત્રાધામ પાવગઢનો વર્લ્ડ હેરિટેઝ સાઈડમાં સમાવેશ થયા બાદ અહીં દેશ સહિત દુનિયાભરમાંથી ઐતિહાસિક સ્થાપત્યોને જાણવા અને માણવા સહેલાણીઓ આવે છે યાત્રાધામ પાવગઢ સહિત આસપાસના લોકોને વધુ રોજગારીની તકો મળે અને સાથે પાવાગઢનો વિકાસ થાય માટે સાલ 2015માં પંચમહાલ જિલ્લા પ્રશાસન અને ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા પ્રથમ પંચમહોત્સવ કાર્યકમનું આયોજન કરાયું હતું.
પાંચ દિવસ ચાલતા સાંસ્કૃતિક કાર્યકમો ક્રાફટ બજાર ટેન્ટ સિટી દેશી વાનગીઓ ફોટોશેસનના યોજાતા કાર્યકમને પંચમહોત્સવ નામ આપવામાં આવ્યું છે પંચમહોત્સવને માણવા રાજ્યભરમાંથી રોજ હજારોની જન મેદની આવતી હોય છે હાલ કોરોનાની વશ્વિક મહામારીએ સમગ્ર દુનિયાને બાનમાં લીધું છે તેમાંથી દેશ અને રાજ્ય પણ બાકાત રહ્યુ નથી કોરોનાની મહામારી વચ્ચે પંચમહોત્સવ યોજાય તો મોટી સંખ્યામાં જન મેદની એકઠી થાય અને કોરોનાનુ સંક્રમણ ફેલાય તેવી વકી વચ્ચે આ વર્ષે જિલ્લા પ્રસાસન અને રાજ્ય ટુરિઝમ વિભાગ દ્વારા પંચમહોત્સવ નહિ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.