ઉના શહેર અને તાલુકામાં હાથી પગોના રોગને નાબૂદ કરવા આરોગ્ય વિભાગ દ્વારા નાઈટ બ્લડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ઉના શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા રાત્રિના સમયે લોકોના ઘરે ઘરે જઈ બાળકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. શહેરમાં ભીમપરા, ગણેશ ખારા જેવા અલગ અલગ વિસ્તારોમા આરોગ્ય વિભાગની 6 ટીમ દ્વારા 60 વ્યક્તિઓના ઘરે જઈ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
હાથની આંગળીમાંથી બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા
તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિપુલ ડુમાતરે જણાવ્યું હતું કે, આ રોગ કોઈ રોગી વ્યક્તિ કે જેને હાથી પગોનો ચેપ હોય તેને કયુલેક્ષ નામના મચ્છર કરડે અને તે મચ્છર સામાન્ય માણસને કરડે પછી તેમાં ફેલાય છે. જે બેનડ્રોફ્ટી નામના પેરાસાઈટ દ્વારા થાય છે. રાત્રિનાંજ વ્યક્તિના બ્લડ સેમ્પલ લેવામાં આવે છે. કારણ કે રાત્રિના સમયેજ વ્યક્તિના શરીરમાં પરિભ્રમણમાં નીકળતા હોવાથી રાત્રિના સુઈ ગયા બાદ હાથની આંગળીમાંથી બ્લડ સેમ્પલ લેવામાં આવે છે.
બ્લડ સેમ્પલ લઈ લેબમાં તપાસ અર્થે મોકલી આપ્યા
આ પ્રકારના મચ્છરો માણસના શરીરમાં કરડવાથી તેનાં કારણે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય છે. જે વિસ્તારમાં આ કેસ હોય તેનાં 50થી 100મીટરના એરિયામાં બ્લડ સેમ્પલ લીધા હતા. જેથી કોઈ વ્યક્તિને બ્લડ ઇન્ફેક્શન આવ્યું હોય તો આ રોગની તપાસ કરવામાં આવે છે. આ વિસ્તારનાં ઓછા હોય પરંતું કાઠા વિસ્તારોમાં હાથી પગોના વધું કેસો જોવા મળતા હોય છે. આમ, શહેરમાં આરોગ્ય વિભાગના હર્બલ હેલ્થ ઓફિસર ડો. જગદીશ પંપાણિયા તેમજ તાલુકા સુપરવાઇઝર વિપુલ સોલંકી, મેલેરીયા સુપરવાઇઝર પ્રકાશ યાદવ સહીતની ટીમે લોકોનાં બ્લડ સેમ્પલ લઈ લેબમાં તપાસ અર્થે મોકલી આપ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.