ઊનાના ખજુદ્રા ગામમાં આવેલ બે આંગણવાડી કેન્દ્ર છેલ્લા ચાર વર્ષથી ભાડાના મકાનમાં ચાલતી હોય આ બે આંગણવાડીમાં 300 જેટલા બાળકો આવતા હોય છે. અને ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે બાળકોને આંગણવાડી કેન્દ્ર સુધી પહોચવું ભારે મુશ્કેલ બની જતુ હોય છે.
સરકાર દ્રારા ગામમાં બાળકોના હિતમાં નવી આંગણવાડી બનાવવામાં આવે તેવી અનેકવાર રજુઆતો કરવાં છતાં આજ સુધી બનાવવામાં આવી નથી. અને ભાડાના મકાનમાં બાળકોને બેસવાની પણ જગ્યા ન હોવા છતાં તંત્રના પેટનું પાણીય હલતુ ન હોય આ બાબતે ગામના જાગૃત નાગરિક પરબતભાઈ કાળાભાઈ ચૌહાણ દ્વારા આઇસીડીએસ અધિકારીને લેખિત રજુઆત કરી તાત્કાલીક નવી આંગણવાડી બનાવવાની માંગ કરેલ છે.
ખજુદ્રામાં અંદાજે વર્ષથી બંને આંગણવાડી કેન્દ્ર બંધ હાલતમાં હોય ચોમાસાની ઋતુ દરમ્યાન વરસાદના કારણે નાના બાળકો બેસી શકે તેવી સ્થિતી ન હોય અને જીવનું જોખમ મંડાય રહ્યુ છે. તેમજ ગામાં બે આંગણવાડી ભાડાના મકાનમાં ચાલતી હોય તેમાં ૩૦૦ જેટલા બાળકોને મુશ્કેલી પડી રહી છે.
છેલ્લા ચાર વર્ષથી ભાડાના મકાનમાં શરૂ છે. હાલ ત્રણ આંગણવાડી હોવી જરૂરી છે. અને આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આંગણવાડી કેન્દ્ર બનાવવામાં આવી નથી. જયારે આ ગામમાં નવી આંગણવાડી ક્યારે બનશે એ સવાલ તો લોકોમાંથી ઉઠી જ રહ્યોં છે સાથસ ગામમાં વિકાસ કામો પણ ન થતા હોવાનું જાણવા મળી રહ્યું છે.જ્યારે બીજી બાજુ દરેક છેવાડાના ગામડા સુધી વિકાસકામો થતા હોવાની વાતો થઈ રહી છે.પરંતુ અહીંયા વાસ્તવિકતા અલગ જ હોવાનો ઘાટ સર્જાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.