તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવા વર્ષની ઉજવણી વેસ્ટર્ન પદ્ધતિથી કરવાને બદલે હિન્દુ શાસ્ત્રોક્ત વિધી કરવાનું રાધે રાધે પરિવાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેમાં તારીખ 31મી, ડિસેમ્બરના રોજ પરિવાર દ્વારા 115થી વધુ ગાય માતાઓની પૂજનવિધી, આરતી કરવામાં આવશે. ત્યારબાદ ઘાસચારો ખવડાવવામાં આવશે. જેમાં મુસ્લિમ પરિવારને સાથે રાખીને હમ સબ એક હૈની ભાવના જાગૃત્ત કરવામાં આવશે.
યુવાનોને ભારતીય સંસ્કૃતિથી માહિતગાર કરવા દરેક તહેવારો કે પર્વની ઉજવણી હિન્દુ શાસ્ત્રોક્ત વીધીથી કરવી જોઇએ. જોકે યુવા વર્ગમાં 31 ફસ્ટની ઉજવણી ફિલ્મી ગીતોને મોટા અવાજમાં વગાડીને ડાન્સ કરીને મોડી રાત્રી સુધી રખડવું અને રાત્રીના 12 કલાકે ફટાકડા ફોડીને નવા વર્ષની વધામણી કરીને ઉજવણી યુવાવર્ગ સમજે છે. ત્યારે યુવાવર્ગમાં પણ ભારતીય સંસ્કૃતિ મુજબ નવાવર્ષની ઉજવણી થાય તેની જાણકારી આપવા માટે રાધે રાધે પરિવાર ગાંધીનગર દ્વારા અનોખી રીતે 31 ફસ્ટની સેવાકાર્ય કરીને ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
રાધે રાધે પરિવાર ગાંધીનગર અને સર્વ વિશ્વ વિદ્યાલયના સર્વ નેતૃત્વના ગૃપ દ્વારા 31મીએ સવારે 11 કલાકે, સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી સંચાલિત શ્રીગુજરાત ગૌશાળા 115થી વધુ ગાયોનું પૂજન કરવામાં આવશે. ગાયોના પૂજન વખતે મુસ્લિમ પરિવારને પણ સાથે રાખીને એકતાની ભાવનાનો સંદેશો આપશે. ગાયોના પૂજન બાદ ઘાસ ખવડાવવામાં આવશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.