ભાજપ શાસિત ભાવનગરની મહાનગરપાલિકાએ આનંદનગર વિસ્તારના બજરંગદાસ બાપાના મંદિર મઢુલીને રૂ. 3030નો પ્રોપર્ટી ટેક્સ ભરવાની નોટિસ ફટકારતા વિવાદ ઉભો થયો છે. આમ આદમી પાર્ટીએ આ વિવાદમાં ઝૂકાવતા એવો આક્ષેપ કર્યો છે કે, હિન્દુત્વના ઠેકેદારો બનેલા ભાજપના લોકોએ બજરંગદાસ બાપાના મંદિરને ટેક્સ ભરવાની નોટિસ ફટકારી છે.
આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવીએ કહ્યું હતું કે,ભાજપ શાસિત ભાવનગર મહાનગરપાલિકાએ બજરંગદાસ બાપાના મંદિરને તેનો વેરો ભરવા નોટિસ મોકલી છે અને મઢુલીના માલિક તરીકે બજરંગદાસ બાપાનું નામ લખ્યું છે.
તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે, ભાજપ ચૂંટણી ભંડોળ એકત્ર કરતી પાર્ટી બની ગઇ છે. મંદિરને ટેક્સની નોટિસ મોકલી અને ખાનગી શાળાનો 50 ટકા ટેક્સ માફ કરતા લોકોના ધાર્મિક લાગણી દુભાઇ હોવાનો આક્ષેપ પણ આપે કર્યો છે. ગઢવીએ કહ્યું હતું કે, ભાજપ હિંદુ વિરોધી પાર્ટી છે. જે જે મંદિરના ટેક્સ સરકાર ભરી શકતી ન હોય તે આપ પાર્ટીએ ભરવાની તૈયારી દર્શાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.