કોર્પોરેશન વિસ્તારમાં પ્રોફેશનલ ટેક્સપેયર પોતાનો બાકીનો વેરો ભરે અને બાકી લોકો નોંધણી કરાવે તે માટે સમાધાન યોજના અમલમાં મુકાયેલી છે. જેમાં 31 ડિસેમ્બર સુધી ચાલનાર સમાધાન યોજનામાં વહેલી તકે લાભ લેવા અપીલ કરી છે. 15 નવેમ્બરથી 9 ડિસેમ્બર સુધી 25 દિવસમાં કુલ 212 ટેક્સપેયરે આ યોજનાનો લાભ લઈને 22 લાખ જેટલો ટેક્સ ભર્યો છે, જેની સામે આવા ટેક્સ પેયરોને દંડ સહિતના રકમનો 13 લાખનો લાભ મળ્યો છે. કોર્પોરેશન વિસ્તારમાં અંદાજે 22 હજારથી વધુ કોમર્શિયલ મિલકતો છે.
જુન-2020થી ગાંધીનગર કોર્પોરેશનમાં 18 ગ્રામ પંચાયત, પેથાપુર નગરપાલિકા તથા 50 ટીપી સ્કીમ વિસ્તારનો સમાવેશ થયો હતો. નવા વિસ્તારો ઉમેરાતા 79 હજાર રહેણાંક અને 14 હજાર કોમર્શિયલ મિલકતો ઉમેરાઈ હતી. જ્યારે મનપાના જૂના વિસ્તારમાં અંદાજે 59 હજાર જેટલી રહેણાંક અને 8 હજાર કોમર્શિયલ મિલકતો છે. અગાઉ 22 માર્ચથી 8 એપ્રિલ સુધી વ્યવસાયવેરા નોંધણી કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 700થી વધુ વ્યવસાયવેરાકારોની નોંધણી થઈ હતી.
મનપામાં અંદાજે 6 હજારથી વધુ વ્યવસાયકારો છે. ચાલુ નાણાકીય વર્ષમાં કોર્પોરેશનને પ્રોફેશનલ ટેક્સની 8.81 કરોડની આવક થઈ છે, નાણાકીય વર્ષ પૂર્ણ થવા સુધીમાં મનપાને 11 કરોડથી વધુની આવકનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2021-22માં 9 ડિસેમ્બર સુધીમાં પ્રોફેશનલ ટેક્સની 8.33 કરોડની આવક થઈ છે. જેમાં આ વર્ષે 47 લાખના વધારો થયો છે.
સમાધાન યોજનાનો લાભ કોને મળશે
છેલ્લા ચાર વર્ષથી ટાર્ગેટ સામે આવક વધુ થાય છે | |||
નાણાકીય | વર્ષ | ટાર્ગેટઆવક | ટકાવારી |
2019-20 | 750 કરોડ | 8.41 કરોડ | 112 ટકા |
2020-21 | 850 કરોડ | 972 કરોડ | 114 ટકા |
2021-22 | 950 કરોડ | 1239 કરોડ | 131 ટકા |
2022-23 | 11 કરોડ | 8.81 કરોડ(9 ડિસેમ્બર સુધી) | 80 ટકા |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.