માધવપુરના મેળામાં કૃષ્ણ અને રુકમણીના વિવાહ અંગે બોલતા ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે રુકમણીના બદલે સુભદ્રાનો ઉલ્લેખ કરતા આહીર સમાજ અને અન્ય લોકોએ તેમનો વિરોધ કરી માફી માગવાની માગણી કરી હતી, જેના પગલે પાટીલે વીડિયો મેસેજ મારફતે જાહેર માફી માગી હતી.
પાટીલે વીડિયોમાં કહ્યું હતું કે, થોડા દિવસ પહેલાં એક કાર્યક્રમમાં સરતચૂકથી એક નામ લેવામાં ભૂલ થઈ હતી. ચાલુ વક્તવ્ય દરમિયાન એ ભૂલ સુધારી લીધી હતી, પરંતુ કેટલાક યુવાનોએ મને માફી માગવા આગ્રહ કર્યો હતો. મેં ફોન પર તેમની માફી માગી હતી. ત્યાર બાદ કેટલાક યુવાનોએ દ્વારકા આવવાનો આગ્રહ કર્યો હતો, જે અંગે પણ મેં હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. મારા વક્તવ્યમાં મેં ભગવાન કૃષ્ણ કે કોઈ પણ વ્યક્તિ, ધર્મ કે જાતિ પર કોઈ પણ ટીકા-ટીપ્પણી કરી ન હતી, પરંતુ નામ લેવામાં ભૂલ થઈ હતી. કોઈ પણ વિવાદ કે દલીલ કર્યા વગર મારી ભૂલ સ્વીકારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.