ગુજરાતમાં આગામી ચાર વર્ષ માટે ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી જાહેર કરવામાં આવી છે. આ પોલિસી જાહેર કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજીને ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસીમાં મળનારી સબસિડીની માહિતી આપી હતી, જેમાં 2-વ્હીલર માટે 20 હજાર અને 4-વ્હીલર માટે દોઢ લાખ રૂપિયાની સબસિડી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
ઇ-વ્હીકલની નવી ટેકનોલોજીને પ્રોત્સાહન મળશે
આ નીતિ-પોલિસી દ્વારા ઇ-વ્હીકલની નવી ટેકનોલોજીને પ્રોત્સાહન મળશે તથા ઇ-વ્હીકલના ડ્રાઇવિંગ, વેચાણ, ધિરાણ, સર્વિસિંગ અને ચાર્જિંગ વગેરે ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં વૃદ્ધિ
થશે. રાજ્ય સરકારે કાળજીપૂર્વકની વિચારણા તેમજ ઇલેક્ટ્રિક વ્હીકલ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતોના અભિપ્રાયો અને સહાયથી ટેકનોલોજી, ઉત્પાદન પ્રક્રિયા તેમજ ઇ-વ્હીકલ સંબંધિત
પરિબળો તથા ભારત સરકારની નીતિઓને ધ્યાનમાં લઇને ગુજરાતની આ ઇ-વ્હીકલ પોલિસી ઘડવામાં આવી છે. રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીમાં મુખ્યત્વે
ચાર બાબત પર વિશેષ ઝોક આપવામાં આવ્યો છે.
વાયુ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે
રાજ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ વધારવો, રાજ્યને ઇ-વ્હીકલ અને એને આનુષાંગિક સાધન-સામગ્રીના ઉત્પાદનનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું તેમજ ઇલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રે
યુવા સ્ટાર્ટઅપ અને રોકાણકારોને પ્રોત્સાહિત કરવા સાથોસાથ વાહનોના ઇંધણના ધુમાડાથી થતા વાયુ-ધ્વનિ પ્રદૂષણને ઘટાડી પર્યાવરણની રક્ષા કરવી એવા બહુવિધ ધ્યેય આ
પોલિસીનું છે. 1 લાખ 10 હજાર ટૂ-વ્હીલર, 70 હજાર થ્રી-વ્હીલર અને 20 હજાર જેટલા ફોર-વ્હીલર આગામી 4 વર્ષમાં રાજ્યમાં આવશો એવો અંદાજ છે. આવાં વાહનોનો પ્રતિ
કિલોમીટરનો વપરાશ ખર્ચ અન્ય વાહનો કરતાં એવરેજ 30થી 50 ટકા ઓછો આવે છે તેમજ વાયુ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે.
6 લાખ ટન જેટલું કાર્બન ઉત્સર્જન ઘટશે
આગામી ચાર વર્ષમાં 2 લાખ ઇલેક્ટ્રિક વાહનો ગુજરાતના માર્ગો પર યાતાયાત માટે આવશે ત્યારે ઓછામાં ઓછા આશરે પાંચ કરોડ રૂપિયાની ઇંધણ બચત થશે તથા અંદાજે 6
લાખ ટન જેટલું કાર્બન ઉત્સર્જન ઘટશે એવો અંદાજ રાખવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક વાહનો મોંઘાં છે અને સામાન્ય માનવીને એ પરવડી શકે એમ નથી એવી માન્યતા દૂર થાય અને
ચાર વર્ષમાં બે લાખ ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગનો લક્ષ્યાંક વાસ્તવિકતા બને એનો પણ સુદૃઢ વિચાર કરીને આ પોલિસી તૈયાર થઇ છે. રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી
માટે વાહનના કિલોવોટદીઠ રૂ. 10 હજારની સબસિડી આપશે.
ચાર વર્ષમાં રાજ્ય સરકાર રૂ. 870 કરોડનો બોજ વહન કરશે
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દેશનાં અન્ય રાજ્યો આવી સબસિડી પ્રતિ કિલોવોટ વધુમાં વધુ રૂ. 5 હજાર આપે છે, જ્યારે ગુજરાતમાં એનાથી બમણી એેટલે કે પ્રતિ કિલોવોટ રૂ. 10
હજારની સબસિડી સરકાર આપશે. આને પરિણામે ચાર વર્ષમાં રાજ્ય સરકાર રૂ. 870 કરોડનો બોજ વહન કરશે. રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ખરીદનાર
વ્યક્તિને 20 હજાર રૂપિયા સુધીની સબસિડીનું પ્રોત્સાહન મળશે. એ જ રીતે થ્રી-વ્હીલર માટે 50 હજાર સુધી અને ફોર-વ્હીલર માટે રૂ. 1 લાખ 50 હજાર સુધીનું પ્રોત્સાહન અપાશે. આ
સબસિડીનો લાભ 1.50 લાખ સુધીની કિંમતના ટૂ-વ્હીલર, 5 લાખ સુધીની કિંમતના થ્રી-વ્હીલર અને 15 લાખ સુધીની કિંમતના ફોર-વ્હીલરને મળવાપાત્ર થશે.
વિજય રૂપાણીએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.