ગાંધીનગરનો પ્રત્યેક નાગરિક પોતાના ઘર આંગણે બે વૃક્ષ વાવે અને ઉછેરે એવી અપીલ સાથે ગાંધીનગર કલ્ચરલ ફોરમે ‘’વૃક્ષ વાવો-વૃક્ષ ઉછેરો મહાઅભિયાન’’ શરૂ કર્યું છે. જે અંતર્ગત પ્રત્યેક સેક્ટરમાં પાંચ આગેવાનોના નિવાસ્થાને જઈને વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. બુધવારે સેક્ટર-1માં સમદર્શન આશ્રમના પ્રાંગણમાં ગુરુમા સમાનંદ સરસ્વતીએ વૃક્ષારોપણ કરીને નાગરિકોને પોતાના ઘર આંગણે બે વૃક્ષ વાવવાની અને તેનું જતન કરવાની અપીલ કરી હતી.
સમદર્શન આશ્રમના સાનિધ્યમાં સેક્ટર-1ના આગેવાનોએ 10 વૃક્ષો વાવ્યા હતા. આ ઉપરાંત સેક્ટર-1માં પૂર્વ મંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, ગુડાના પૂર્વ અધ્યક્ષ, ઉદ્યોગપતિ, બિલ્ડરના નિવાસસ્થાને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજે સેક્ટર-2માં વૃક્ષારોપણનું મહાઅભિયાન હાથ ધરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.