રાજ્યમાં રસીકરણનો અાંક 2 કરોડને પાર થઈ ગયો છે. રાજ્યના 1.55 કરોડ એટલે કે 33.51% લોકોએ પ્રથમ ડોઝ લીધો છે જ્યારે 45.45 લાખ એટલે કે 9.81% વસતીએ બંને ડોઝ લીધા છે. દરમિયાનમાં રાજ્યમાં નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હવે આખા રાજ્યમાં માત્ર 6 દર્દીના જ કોરોનાના કારણે મોત થયા છે. તેમાં અમદાવાદ શહેરમાં 2 અને જામનગર શહેરમાં 1, તેમજ જૂનાગઢ, ભરૂચ અને અરવલ્લીમાં 1-1નું મોત થયું છે. બીજા દિવસે 500થી ઓછા કેસ નોંધાયા છે અને 490 નવા કેસ સામે આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.