તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્ય સરકારે 5 લાખ સરકારી અધિકારી-કર્મચારીઓને 10 હજાર ફેસ્ટિવલ એડવાન્સ આપવાની જાહેરાત કરી છે, પરંતુ તેની પ્રક્રિયા અને કાર્ડ આપવાની કામગીરી થાય તે પહેલાં જ બેન્કોમાં દિવાળીની રજાઓ પડી જતાં હવે કર્મચારીઓ આ રકમનો ઉપયોગ દિવાળી બાદ જ કરી શકશે. સરકારે ફેસ્ટિવલ એડવાન્સની રકમ 31 માર્ચ 2021 સુધીમાં વાપરવાની મંજૂરી આપી છે.
એડવાન્સ મેળવવા માટે અરજી કરવી પડશે
રાજ્ય સરકારે 12મીએ ગુરુવારે ફેસ્ટિવલ એડવાન્સ, 13મીએ સાંજે તેની કાર્યપદ્ધતિ જાહેર કરી છે. કર્મચારીએ એડવાન્સ મેળવવા માટે પોતાની કચેરીની મહેકમ શાખાને અરજી કરવાની રહેશે. મહેકમના વડા અરજી મંજૂર કરીને તેની વિગત ઉપાડ અને વહેંચણી અધિકારીને મોકલશે, તેઓ સંકલન કરીને આ અરજીઓની વિગત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને મોકલશે. એસબીઆઇની સંબંધિત બ્રાંચમાંથી કર્મચારીને રૂપે કાર્ડ અપાશે. 13મીએ કાર્યપદ્ધતિ નક્કી થઇ, 14થી 16 બેન્કોમાં દિવાળીની રજા પડી ગઈ.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.