દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમા તા.10 મેના રોજ ઘી ડેમ હેડ વર્ક્સ ખાતે સમારકામ કામગીરી ને કારણે અમુક વિસ્તારમાં પાણી કાપ રહેશે.સમારકામ પુર્ણ થયા બાદ રાબેતા મુજબ પાણી વિતરણ કરાશે એમ પાલિકાએ જણાવ્યુ છે. ખંભાળીયા નગરપાલિકાના ઘી ડેમ હેડ વર્ક્સ ખાતે પમ્પીંગ મશીનરી સમારકામ તથા ફિટિંગ સહિતની કામગીરી કરવા માટે તા.10/5ના રોજ ખંભાળીયા નગરપાલિકાના નિમ્ન વસ્તારોમાં આજે પાણી કાપ રહેશે.
જેમાં સ્ટેશન રોડ વિસ્તાર, કુંભારપાડો, જી.વી.જે.હાઇસ્કુલ વિસ્તાર, બસ સ્ટેન્ડ રોડ, દત્તાણી નગર, તિરુપતિ સોસાયટી, જડેશ્વર ટેકરી વિસ્તાર, સાંકેત હોસ્પિટલ વિસ્તાર, નવાપરા વિસ્તાર, બેઠક રોડ, બેઠકનો સંપ, ખંભાળીયા મિલ કંપાઉન્ડ, આશાપુરા ચોક, ગોવિંદ તળાવ વિસ્તાર, ભગવતી મેરેજ હોલ, વજુભાઈના સંપ, કણઝાર માતા મંદિર, રઘુવીર મિલ સંપ વિસ્તારનો સમાવેશ થાય છે.
શહેરના ઉપરોકત વિસ્તારમાં આજે તા. 10મીએ પાણી વિતરણ થઇ શકશે નહી. ઉપરોકત શહેરની જીવાદોરી સમાન ઘી ડેમની સમારકામની કામગીરી પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે જેની શહેરીજનોએ નોંધ લેવા નગરપાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા શહેરીજનોને જણાવવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.