મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા અંગદાન જનજાગૃતિ માટે ખંભાળીયા ખાતે પાલિકા ગાર્ડનથી સાઇકલ રેલીનું આયોજન કરાયું હતું. જેની શરૂઆત પાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, મયુરભાઈ ગઢવી સહિતના આગેવાનો દ્વારા શરૂઆત કરવામાં આવી હતી.
રેલી પાલિકા ગાર્ડનથી શરૂ થઈ સ્ટેશન રોડ, ચાર રસ્તા, નગર ગેઇટ સહિતના વિસ્તારમાંથી ફરી જોધપુર ગેઇટ ખાતે પૂર્ણ થઈ હતી. જેમાં જુદા જુદા આગેવાનો, પોલીસ જવાનો, પત્રકારો, મહિલા આગેવાનો સહિતના લોકો રેલીમાં જોડાયા હતા. રેલી જોધપુર ગેઇટ ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ થઈ હતી. મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા અંગદાન મતદાનની જનજાગૃતિ માટે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.