તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ જિલ્લા સંજેલી નગરમાં આવેલ મામલતદાર સ્ટાફ નિવસ પાસેનો રસ્તો જે સંજેલીથી માંડલી ગોધરા, પીપલોદ, રંધીકપુરનો મુખ્ય રસ્તો છે. છેલ્લા ઘણા દિવસથી આ રસ્તા ઉપર નાનામોટા ખાડા પડી ગયેલ છે. ખાડાના કારણે આવતા જતા વાહન ચાલોકોને ખુબજ મુશ્કેલી વેઠવી પડતી હોય છે. આર.સી.સી રોડ હોવા છતાં પણ ચોમાસા પછી પણ જે તે જવાબ દાર કચેરીઓના અધિકારીઓ દ્વારા યોગ્ય ધ્યાન ન આપતા આ જ દિન સુધી રીપેર થયો નથી. રોડ ઉપર અનેક જગ્યાએ નાના મોટા ખાડા હોવાના કારણે નાના મોટા વાહન ચાલકોને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ તેમજ નાની ગાડીઓને નુકસાન પણ થતું હોય છે. ત્યારે વહેલી તકે રીપેરીંગ કરવામાં આવે તેવી વાહન ચાલોકોની માંગ છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.