દાહોદમાં સળંગ ત્રીજા દિવસે પણ ઉઘાડ રહેતા બુધવારની બપોરે લોકોએ ફરી એકવાર ઉનાળાનો અનુભવ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદમાં છેલ્લા એક સપ્તાહથી થતી વરસાદી અમીદ્રષ્ટિ ત્રણ દિવસથી સદંતર અટકી જતા ક્રમશઃ વાતાવરણ એકદમ ઉઘડી જવા પામ્યું હતું. અને બુધવારે તો સવારથી જ તાપ સાથે ઉઘાડ નીકળતા બપોરના સમયે દાહોદ શહેરનું તાપમાન પણ 35 સે.ગ્રે. ડિગ્રી ઉપર પહોંચી જવા પામ્યું હતું.
છેલ્લા એક સપ્તાહથી વરસતા વરસાદને લઈને શહેરમાં ઠંડક પ્રસરી જતા લોકોના પંખા અને એ.સી. બંધ થઈ જવા પામ્યા હતા, તે બુધવારે ઉકળાટ રહેતા ફરી એક વખત ચાલુ કરવાની ફરજ પડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.