5 જુન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ આ દિવસની આજે સમગ્ર દાહોદ જિલ્લામાં ઉજવણી કરવામાં આવી છે. ત્યારે જિલ્લા સેવા સદન ખાતે આવેલા ઇવીએમ વેરહાઉસ ખાતે કલેકટર ડો. હર્ષિત ગોસાવી સહિતનાં અધિકારીઓએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશો પાઠવ્યો હતો.
આ પ્રસંગે કલેકટર ડો. ગોસાવીએ ગ્લોબલ વોર્મીગ સહિતની વૈશ્વિક સમસ્યાઓ વધુમાં વધુ વૃક્ષો વાવીને દૂર કરી શકાય છે તેમ જણાવ્યું હતું. તેમણે દાહોદને પ્લાસ્ટીક મુક્ત કરી, હરિયાળું બનાવવાનો સંદેશો વિશ્વ પર્યાવરણ દિવસે નાગરિકોને આપ્યો હતો. આ પ્રસંગે નાયબ વન સંરક્ષક, નાયબ ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.