દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પીપળીયા ગામે એક 26 વર્ષીય યુવકે આત્મહત્યા કરી લીધી છે. યુવકે અગમ્ય કારણોસર ખેતરમાં આવેલા ઝાડ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે.
સિંગવડ તાલુકાના પીપળીયા ગામે ટેકરી ફળિયામાં રહેતા 26 વર્ષીય શૈલેષભાઈ ધીરાભાઈ બારીયાએ કોઈ કારણોસર આત્મહત્યા કરી હતી. પોતાના જ ઘરની બાજુમાં આવેલા એક ખેતરમાં ઝાડની ઉપર દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરિવારજનો સહિત પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
આ ઘટનાને પગલે સ્થળ પર લોકટોળાં ઉમટી પડ્યાં હતાં અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ સ્થળ પર પહોંચી આવી હતી. મૃતકની લાશને ઝાડ પરથી નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરી દેવામાં આવી હતી. આ સંબંધે પીપળીયા ગામે ટેકરી ફળિયામાં રહેતા ધીરાભાઈ સબુરભાઇ બારીયા દ્વારા રણધીકપુર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.