દાહોદમાં શનિવારે વિકાસકાર્યોના લોકાર્પણ થકી જિલ્લાનાં 1590 પરિવારોને પોતાનું ઘર મળ્યું હતુ અને 6293 લોકોના ઘરનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિતભાઇ શાહે આવાસ યોજનાઓ સહિત ઝાલોદના રૂપાખેડા ખાતે ગુજરાત ઊર્જા વિકાસ બોર્ડ દ્વારા નિર્મિત 220 કિ.વોટના સબસ્ટેશન, સંજેલી ખાતે રૂ. 1.67 કરોડના ખર્ચે નવનિર્મિત બસસ્ટેશન, દાહોદ ખાતે ઔધોગિક તાલીમ સંસ્થા અને શ્રમિક કૌશલ્ય પ્રમાણિતતા કેન્દ્રનાં રૂ. 36.25 કરોડના ખર્ચે અત્યાધુનિક નવનિર્મિત બહુમાળી ભવનનું તેમજ જિલ્લાને ફાળવાયેલી નવી 5 એસટી બસોનું પણ ઇ-લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઇએ જણાવ્યું હતુ કે, દાહોદમાં આજે વિવિધ વિકાસકાર્યોની હેલી વરસી છે. કાર્યક્રમ સ્થળેથી દાહોદ જિલ્લામાં ફાળવવામાં આવેલી નવી એસ.ટી. બસોને મહાનુભાવોએ ફલેગઓફ કરી રવાના કરી હતી. આ
પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારે પ્રાંસગિક પ્રવચન કર્યું હતું. તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.બી. બલાતે સ્વાગત પ્રવચન કર્યું હતું. મહાનુભાવોએ લાભાર્થી નાગરિકોને મંજૂરીપત્રો એનાયત કર્યા હતા. આ વેળાએ લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર, કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, કારોબારી સમિતિના અધ્યક્ષ જિથરાભાઇ ડામોર, એપીએમસીના ચેરમેન કનૈયાલાલ, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ લાભાર્થી નાગરિકો જોડાયા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.